ગુજરાતના જીલ્લા | સાબરકાંઠા | DISTRICT OF GUJARAT

 

સાબરકાંઠા(SK)

  • સાબરકાંઠાને સોહામણું કહેવાય છે

સાબરકાંઠા જિલ્લાને અન્ય જીલ્લાની સ્પર્શતી સીમાઓ:-

  • પશ્ચિમ દિશા:- બનાસકાંઠા, મહેસાણા
  • દક્ષિણ દિશા:- ગાંધીનગર
  • પૂર્વ દિશા:-    અરવલ્લી
  • ઉત્તર દિશા:-  રાજસ્થાન રાજ્ય

 

સાબરકાંઠા જીલ્લાના તાલુકાઓ:-

      (1)    હિંમતનગર           (5) પ્રાંતિજ

      (2)    ખેડબ્રહ્મા              (6) વડાલી

      (3)    વિજયનગર           (7) તલોદ    

      (4)    ઈડર                  (8) પોશિના

 

 

સાબરકાંઠા જીલ્લાની રચના:-

  • સાબરકાંઠા જીલ્લો ગુજરાતની સ્થાપના સમયે અસ્તિત્વમાં આવ્યો
  • વર્ષ 2013માં સાબરકાંઠા જીલ્લામાંથી નવો જીલ્લો અરવલ્લી બનાવવામાં આવ્યો
  • મહાગુજરાત ચળવળ(1956-1960) સમયે સાબરકાંઠા જીલ્લો રાજસ્થાન રાજ્યના ડુંગરપુર જીલ્લાનો ભાગ હતો

 

નદીઓ:-

મુખ્ય નદીઓ:- હાથમતી, હરણાવ, કોસંબી, ભીમાક્ષી, આકુળ, વ્યાકુળ, ગુહાઈ, મેશ્વો, માઝમ, સાબરમતી

 

  • સાબરમતી, આકુળ અને વ્યાકુળ નદીનો સંગમ ગુણભાખરી ખાતે થાય છે, જ્યાં ચિત્ર-વિચિત્રનો મેળો ભરાય છે
  • હરણાવ,કોસંબી અને ભીમાક્ષીનો સંગમ ખેડબ્રહ્મામાં થાય છે

  • હરણાવ નદીની સહાયક નદી ગુહાઈ પર ગુહાઈ પરિયોજના કાર્યરત છે
  • ગુહાઈ નદી પર ગુહાઈ ડેમ હિંમતનગરના ખાંડીયલ ગામે આવેલો છે   
  • હાથમતી નદી હિંમતનગર નજીકથી પસાર થાય છે
  • હાથમતી નદીનું પ્રાચીન નામ “કિરાત કન્યા” છે, જેનો અર્થ જંગલ થાય છે
  • સાબરમતી, હરણાવ અને હાથમતી નદીનો સંગમ પ્રાંતિજમાં થાય છે
  • આ નદી સાબરકાંઠા અને બનાસકાંઠાની પ્રાકૃતિક સીમા બનાવે છે
  • આ તમામ નદીઓ એકબીજાની સહાયક નદીઓ છે

 

 ખનીજો:-

1. ચિનાઈ માટી:-

  • ભારતનું સૌથી મોટું ચિનાઈ માટી ક્ષેત્ર ઈડર તાલુકાનું આરસોડીયા ગામ છે
  • એકલારની ચિનાઈ માટીને ઇંગ્લેન્ડની ચિનાઈ માટી સાથે સરખાવવામાં આવે છે
  • ચિનાઈ માટીનો ઉપયોગ સિરામિક ઉદ્યોગમાં ટાઈલ્સ બનાવવામાં થાય છે
  • સિરામિક ઉદ્યોગનું કામ હિંમતનગરમાં આવેલી AGL કંપની(એશિયન ગ્રેનીટો લિમિટેડ) કરે છે

 

2. બોકસાઈટ:-

  • સાબરકાંઠા ઈડર તાલુકાના દેધ્રોટા ગામ પાસેથી બોકસાઈટ મળી આવે છે
  • ગુજરાતમાં સૌથી વધુ બોકસાઈટ જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લાઓમાંથી મળી આવે છે

 

ડેરી ઉદ્યોગ :- સાબર ડેરીની સ્થાપના ભોળાભાઈ પટેલે કરી હતી

 

ડુંગરો:-

(1)    વિજયનગરનો ડુંગર

(2)    ખેડબ્રહ્માનો ડુંગર

(3)    ઇડરીયો ગઢ

 

સાંસ્કૃતિક વન:-

  • વિજયનગર તાલુકામાં પાલદઢ વાવ ખાતે 2017માં CM વિજય રૂપાણીએ વીરાંજલી વન બનાવવાનું આયોજન કર્યું હતું
  • 2003માં CM નરેદ્ર મોદીએ અહીં શહીદ સ્મારક બનાવડાવેલ છે
  • ભારતનો સૌથી મોટો હત્યાકાંડ 7 માર્ચ 1922ના રોજ વીરાંજલી વન ખાતે થયેલ છે
  • અહીં આદિવાસીઓના તારણહાર મોતીલાલ તેજવાન હતા
  • અહીં એ સમયગાળા દરમિયાન દુષ્કાળને કર ઓછો આપવા મેવાડ અને ભીલ લોકોએ એક સભાનું આયોજન કર્યું હતું 
  • અંગ્રેજ અધિકારી એચ.જી.સટ્ટને એ સભામાં ગોળીબાર કરવાનો આદેશ આપ્યો હતો
  • ગોળીઓથી આશરે 1200 જેટલા લોકો મૃત્યુ પામ્યા હતા

 

 મેળા:-

1. ચિત્ર-વિચિત્રનો મેળો:-

  • આ મેળો આકુળ, વ્યાકુળ અને સાબરમતી નદીના સંગમ સ્થળ ગુણભાખરી ગામે યોજાય છે
  • અહીં મહારાજા શાંતનુંના પુત્રો ચિત્રાંગદ અને વિચિત્રવીર્યને રોગ મુક્ત કરવામાં આવ્યા હતા 
  • આ મેળો હોળી પછીના ચૌદ દિવસે એટલે કે ફાગણ વદ ચૌદસ અને અમાસ દિવસે યોજાય છે
  • ચૌદસના દિવસે હાડ ગાળવાની વિધિ (પિતૃઓના અસ્થિ વિસર્જન) થાય છે
  • અમાસના દિવસે યુવાન હૈયા સ્વયંવરમાં ભાગ લે છે
  • પાન ખાવાનો – ખવડાવવાનો રીતરિવાજ તથા લાડી ખેંચવાનો રિવાજ પ્રચલિત છે
  • લાડી ખેચવી એટલે મનગમતા પાત્રનું અપહરણ કરીને લગ્ન કરવા
  • આ રિવાજ પ્રમાણે સૌપ્રથમ વખત પૃથ્વીરાજ ચૌહાણે સંયુક્તાનું અપહરણ કરી લગ્ન કર્યા હતા
  • આ પરથી ફિલ્મ બનાવવામાં આવી જેમાં પૃથ્વીરાજ ચૌહાણ તરીકે અક્ષય કુમાર અને સંયુક્તા તરીકે માનુષી છીલ્લરે રોલ અદા કર્યો છે

 

2. મૃધુણેશ્વરનો મેળો:-

  • આ મેળો ડેભોલ નદી કિનારે ઈડર તાલુકાના જાદર ગામે યોજાય છે
  • આ મેળાનું બીજું નામ “બુધાણાનો મેળો”  છે
  • આ મેળો ભાદરવા મહિનાના બીજા સોમવારથી ત્રણ દિવસ સુધી રહે છે
  • આ મેળામાં સાપ અને અન્ય ઝેરી જાનવરોના ઝેર ઉતારવાની વિધિ થાય છે

 

3. રાવડી ઘેરનો મેળો:-

  • આ મેળો ખેડબ્રહ્મા તાલુકાના લાંબડીયા ગામે યોજાય છે
  • આ મેળો ફાગણ વદ બીજના દિવસે ભરાય છે
  • અહીં ડુંગરી ભીલ આદિવાસી જ્ઞાતિ ભાગલેતી જોવા મળે છે
  • હોળીના દિવસે અહીં ગુલાલ છાંટનારને અપાતી ભેટને ગોઠ કહે છે
  • ગોઠ માંગવા માટે ડુંગરી ભીલ આદિવાસી જાય છે

 

 મહત્વના સ્થળો:-

1. ઈડર:-

  • ઈડરનું પ્રાચીન નામ “ઈશ્વદુર્ગ” છે
  • અહીં નવગજાપીરની દરગાહ, રૂઠીરાણીનું માળિયું, પાતાળ કુંડ, લાખુમાં તળાવ, ભુરા બાવાની ગુફા આવેલી છે
  • તથા અહીં રણમલ ચોકી આવેલી છે, જેનો ઉલ્લેખ રણમલ છંદમાં છે આ છંદના લેખક શ્રીધર વ્યાસ છે
  • ઈડર લાકડાંના રમકડાં માટે જાણીતું છે જેને “ખરાદી બજાર” કહે છે
  • ઈડરીયા ગઢ પર પગથિયાં બનાવનાર કુમારપાળ હતા

 

2. હિંમતનગર:-

  • હિંમતનગર હાથમતી નદીના કિનારે વસેલું છે
  • હિંમતનગરનું બીજું નામ “અહમદનગર” છે
  • હિંમતનગર અહમદશાહ પહેલાની ઉનાળુ રાજધાની હતી
  • 1912માં મહારાજા પ્રતાપસિંહના પુત્ર કે પૌત્ર હિંમતસિંહના નામ પરથી હિંમતનગર એવું નામ રાખવામાં આવ્યું છે
  • અહીં 1522માં કાઝીવાવ નિર્માણ પામી છે
  • અહીં હાથમતી નદી કિનારે હિંમતનગરમાં હિંમતસિંહજીએ  દૌલત નિવાસ પેલેસ બનાવડાવેલ છે

 

3. આકોદરા:-

  • આકોદરા ગામ હિંમતનગર તાલુકામાં આવેલું છે
  • આ ગામ ભારતનું સૌથી પહેલું ડીજીટલ વિલેજ બનેલું છે
  • આ ગામ આઈ.સી.આઈ.સી.આઈ. દ્વારા દત્તક લેવામાં આવેલું છે
  • અહીં ભારતની સૌપ્રથમ એનિમલ હોસ્ટેલ આવેલી છે

 

4. વડાલી:-

  • અહીં 100 કરોડના ખર્ચે ભારતની સંત નગરી બનવા માટે જઈ રહી છે
  • “સાબરકાંઠાની સંત નગરી” વડાલીને કહેવાય છે
  • હ્યુ-એન-ત્સંગે વડાલી માટે “ ઓ-ચાલી” શબ્દનો પ્રયોગ કર્યો છે
  • 13મી સદીના સોલંકી કાળના શિલાલેખો અહીં મળ્યા છે

 

5. ખેડબ્રહ્મા:-

  • અહીં ચતુર્થમુખ બ્રહ્માજીનું મંદિર આવેલું છે
  • આ મંદિર હરણાવ, ભીમાક્ષી અને કોસંબી નદીના સંગમ સ્થળે આવેલું છે
  • ખેડબ્રહ્માને “નાના અંબાજી” પણ કહેવાય છે
  • બ્રહ્માજીના ભારતમાં ચાર સર્વ શ્રેષ્ઠ મંદિરો આવેલા છે,જેમાંથી ત્રણ ગુજરાતમાં આવેલાં છે સાબરકાંઠાના ખેડબ્રહ્મા, સુરતના કામરેજ અને મોરબી જીલ્લાના હળવદ તાલુકાના બ્રહ્માણીમાં આવેલાં છે
  • અન્ય એક બ્રહ્માજીનું મંદિર ભારતનું સૌથી મોટું બ્રહ્માજીનું મંદિર છે, જે રાજસ્થાનના પુષ્કરમાં આવેલું છે

 

6. પ્રાંતિજ:-

  • અહીંથી કર્કવૃત્ત રેખા પસાર થાય છે
  • સાબરમતી અને હાથમતી નદીનો સંગમ પ્રાંતિજ ખાતે થાય છે
  • ખડાયતા બ્રાહ્મણના ફૂલ દેવતા ભગવાન કોટાર્યક પ્રાંતિજ ખાતે આવેલ છે
  • અહીં બ્રાહ્મણોના ફૂલ દેવીઓના મંદિરને “રોડાનાં મંદિરો” કહે છે

 

7. સપ્તેશ્વર:-

  • અહીં સપ્તેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે
  • આ મંદિર સાબરમતીના સંગમ પટમાં આવેલું છે

 

8. વિજયનગર:-

  • અહીં પોલો ફોરેસ્ટમાં અનુમૈત્રક કાળના જૈન મંદિરો સચવાયેલા છે
  • પોલો ફોરેસ્ટ આભાપુરા ગામ પાસે આવેલું છે
  • પોલો ફોરેસ્ટમાં વિરેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે

 

9. બોલુન્દ્રા:-

  • બોલુન્દ્રા ઈડર તાલુકામાં આવેલું છે
  • અહીં ગુજરાતનું એકમાત્ર શિખરવાળું કાળભૈરવનું મંદિર આવેલું છે     

 

ટિપ્પણીઓ